about

Showing posts with label સાંપ્રત સમયની સમસ્યા. Show all posts
Showing posts with label સાંપ્રત સમયની સમસ્યા. Show all posts

Sunday, April 4, 2010

"પ્રભુ સમક્ષ કરેલ દીવો"

જોગાનું જોગ આજ રોજ મને મારા મિત્ર મળી ગયા જેમની વાતે મને આ પોસ્ટ લખવાની પ્રેરણા આપી. અને જેમાં વિજ્ઞાનના ત્રાજવે તોળેલી ધાર્મિક વાત (અથવા માન્યતા ) છે.

વાત એવી હતી કે

એ ભાઈને થોડો છાંટોપાણી કરવાની આદત ખરી. દરરોજ સવારે તેઓ પૂજાપાઠ કરે. ભગવાનને દીવો પણ કરે. એક વખત બન્યું એવું કે તેમને રાત્રે "ડ્રીન્કસ પાર્ટી" નું આમંત્રણ મળ્યું. અને આદતસે મજબૂર તેઓ ત્યાં ગયા. થોડું વધારે ડ્રીન્કસ લઇ લેવાતા . ઘરે આવીને સૂઈ ગયા. સવારે પોતાના રાતના કૃત્યને અફસોસ જતાવતા જતાવતા તેઓ પ્રભુનો દીવો કરવા લાગ્યા. અને અચાનક.. શું થયું??
તેમના હાથમાંથી તે સળગતો દીવો છટક્યો અને તેમના હાથ પર પડ્યો, થોડા દાઝ્યા પણ ખરા. તે બુઝાયેલા દીવાને લઈને ફરીથી પ્રગટાવી પ્રભૂ સમક્ષ ધર્યો.
તેમના મગજમાં વિચાર પ્રગટી ગયો.. જે ધાર્મિક રીતે મૂલવવામાં આવે તો સાચી વાત જ છે. કે "મેં ડ્રીન્કસ લીધું , જે ધર્મ વિરુદ્ધનું કૃત્ય છે. અને એટલે જ પ્રભુ મારી ઉપર કોપાયમાન થયા અને દીવો પડી ગયો, હું દાઝ્યો અને બુઝાઈ પણ ગયો.."

તદ્દન સાચી વાત છે . વેદમાં લખેલું છે કે દારૂ પીનાર વ્યક્તિ "દસ્યુ " એટલે કે રાક્ષસ ગણાય છે. અને ધાર્મિક માન્યતા સાચી પણ છે. અને કદાચ એટલે પ્રભુ કોપાયમાન થયા પણ હોય.. શ્રદ્ધાની વાત છે.
પરંતુ તાર્કિક રીતે અને વિજ્ઞાનના ત્રાજવે તોલીને આ વાત કરવામાં આવે તો...
"ભાઈ, તમે રાત્રે વધુ પડતું ડ્રીન્કસ લીધું, અને સુઈ ગયા. નેચરલી તેનો નશો ઉતારી ગયો હશે પરંતુ આપનું મગજ હજી તેની અસર અને ઘેનમાં થી બહાર આવ્યું નથી. અને કદાચ તેના કારણે જ દીવો પ્રગટાવ્યા પછી તમારાથી તેના પર કંટ્રોલ થયો નહિ હોય. અને તે જ કારણ હોઈ શકે કે તે દીવો પડી ગયો.. તમારા હાથ પર પડ્યો એટલે તમને તેની ઝાળ લાગી. અને પછી બુઝાઈ ગયો. "

હશે જે હોય તે ..

પણ જો ધાર્મિક રીતે પણ પ્રભુથી ડરીને ચાલવામાં આવે અને આ વાત સાચી માનવામાં આવે .... ઉપરાંત તાર્કિક રીતે પણ જોઈને તેના પ્રમાણે વર્તન કરવામાં આવે તો ..
બંને કેસમાં ડ્રીન્કસ લેવું કેટલુંક ખતરનાક સાબિત થઇ શકે તેનું નાનું ઉદાહરણ છે. ..
આશા રાખીશ કે આટલી નાની અમથી વાત નું બીજ આગળ જઈને વૃક્ષ બને  અને તેની છાયામાં આખો સમાજ તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરે.. 
આભાર ... જયશ્રી કૃષ્ણ ...