about

Sunday, April 4, 2010

"પ્રભુ સમક્ષ કરેલ દીવો"

જોગાનું જોગ આજ રોજ મને મારા મિત્ર મળી ગયા જેમની વાતે મને આ પોસ્ટ લખવાની પ્રેરણા આપી. અને જેમાં વિજ્ઞાનના ત્રાજવે તોળેલી ધાર્મિક વાત (અથવા માન્યતા ) છે.

વાત એવી હતી કે

એ ભાઈને થોડો છાંટોપાણી કરવાની આદત ખરી. દરરોજ સવારે તેઓ પૂજાપાઠ કરે. ભગવાનને દીવો પણ કરે. એક વખત બન્યું એવું કે તેમને રાત્રે "ડ્રીન્કસ પાર્ટી" નું આમંત્રણ મળ્યું. અને આદતસે મજબૂર તેઓ ત્યાં ગયા. થોડું વધારે ડ્રીન્કસ લઇ લેવાતા . ઘરે આવીને સૂઈ ગયા. સવારે પોતાના રાતના કૃત્યને અફસોસ જતાવતા જતાવતા તેઓ પ્રભુનો દીવો કરવા લાગ્યા. અને અચાનક.. શું થયું??
તેમના હાથમાંથી તે સળગતો દીવો છટક્યો અને તેમના હાથ પર પડ્યો, થોડા દાઝ્યા પણ ખરા. તે બુઝાયેલા દીવાને લઈને ફરીથી પ્રગટાવી પ્રભૂ સમક્ષ ધર્યો.
તેમના મગજમાં વિચાર પ્રગટી ગયો.. જે ધાર્મિક રીતે મૂલવવામાં આવે તો સાચી વાત જ છે. કે "મેં ડ્રીન્કસ લીધું , જે ધર્મ વિરુદ્ધનું કૃત્ય છે. અને એટલે જ પ્રભુ મારી ઉપર કોપાયમાન થયા અને દીવો પડી ગયો, હું દાઝ્યો અને બુઝાઈ પણ ગયો.."

તદ્દન સાચી વાત છે . વેદમાં લખેલું છે કે દારૂ પીનાર વ્યક્તિ "દસ્યુ " એટલે કે રાક્ષસ ગણાય છે. અને ધાર્મિક માન્યતા સાચી પણ છે. અને કદાચ એટલે પ્રભુ કોપાયમાન થયા પણ હોય.. શ્રદ્ધાની વાત છે.
પરંતુ તાર્કિક રીતે અને વિજ્ઞાનના ત્રાજવે તોલીને આ વાત કરવામાં આવે તો...
"ભાઈ, તમે રાત્રે વધુ પડતું ડ્રીન્કસ લીધું, અને સુઈ ગયા. નેચરલી તેનો નશો ઉતારી ગયો હશે પરંતુ આપનું મગજ હજી તેની અસર અને ઘેનમાં થી બહાર આવ્યું નથી. અને કદાચ તેના કારણે જ દીવો પ્રગટાવ્યા પછી તમારાથી તેના પર કંટ્રોલ થયો નહિ હોય. અને તે જ કારણ હોઈ શકે કે તે દીવો પડી ગયો.. તમારા હાથ પર પડ્યો એટલે તમને તેની ઝાળ લાગી. અને પછી બુઝાઈ ગયો. "

હશે જે હોય તે ..

પણ જો ધાર્મિક રીતે પણ પ્રભુથી ડરીને ચાલવામાં આવે અને આ વાત સાચી માનવામાં આવે .... ઉપરાંત તાર્કિક રીતે પણ જોઈને તેના પ્રમાણે વર્તન કરવામાં આવે તો ..
બંને કેસમાં ડ્રીન્કસ લેવું કેટલુંક ખતરનાક સાબિત થઇ શકે તેનું નાનું ઉદાહરણ છે. ..
આશા રાખીશ કે આટલી નાની અમથી વાત નું બીજ આગળ જઈને વૃક્ષ બને  અને તેની છાયામાં આખો સમાજ તંદુરસ્ત સંબંધોનું નિર્માણ કરે.. 
આભાર ... જયશ્રી કૃષ્ણ ...

Saturday, February 20, 2010

તાર્કિક રીતે કે સાત્વિક રીતે......... પણ અમે ઉમરેઠ આવી ગયા........

વાત મારા વિવાહ થયા તે સમયની છે.. પરંતુ જયારે તમારી પાસે પ્રભુના પરચાની વાતો થઇ હોય ત્યારે આ વાતનો ઉલ્લેખ ના કરુ તો તે વાત અધૂરી રહે. અને આ એટલા માટે જાણવું છું કે આ મારો પોતાનો અનુભવ છે. જેને તાર્કિક અને ધાર્મિક બંને રીતે મૂલવવામાં આવે તો બંને રીતે સમજી શકાય તેવું છે. આ અનુભવ વિષે જાણું તે પહેલા એક સાંભળેલી વાત જણાવું.

એક નાવમાં સ્વામી વિવેકાનંદ અને તેમના શિષ્યો તથા બીજા યાત્રિકો મુસાફરી કરી રહ્યા હતા. લગભગ નાવ મધદરિયે હતી. અચાનક દરિયા માં તોફાન આવ્યું અને દરેક વ્યકતી ગભરાઈ ગયા. દરેક નાં હૃદય માં થડકાર હતો કે બસ આજે તો ગયા......
અચાનક સ્વામી વિવેકાનંદે દરેક ને કહયુ કે .:" દરેક જણ શાંતિથી પોતપોતાની જગ્યાએ બેસી જાઓ અને પ્રભુનું સ્મરણ કરો."
ભગવા કપડા જોઈને દરેક ને તેમના પર વિશ્વાસ બેઠો અને દરેકે તેમના આદેશાનુસાર પોતાનું સ્થાન ગ્રહણ કરીને પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ કર્યું. અને આ બાજુ તોફાન શમી ગયું અને પછી તે નાવ પણ બચી ગઈ અને દરેકે પોતાની યાત્રા સુખરૂપ પૂર્ણ કરી પોતપોતાના ગૃહે પ્રયાણ કર્યું.  દરેક જતી વખતે સ્વામી વિવેકાનંદ નો આભાર માનતા ગયા. 
એક શિષ્યે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આપની કૃપાદ્રષ્ટિનાં કારણે બધા બચી ગયા."
ભારતનો દરેક વ્યક્તિ જાણે છે  કે સ્વામીજી જાતે કોઈ ચમત્કારમાં માનતા નહોતા.
તેમણે કહ્યું :" ખરેખર કોઈ ચમત્કાર થયો નથી. આ જે થયું તે દરેકની  શ્રદ્ધા અને શિસ્તના કારણે થયું છે." શિષ્યોને પુછુ :" કેવી રીતે?"
સ્વામીજી:" બેટા , દરિયામાં તોફાન થયું હતું . પણ એટલું બધુ ભયાનક નહોતું કે તેનાથી ડરી જવાય. પરંતુ બધા હાફળાફાફળા થઇ ગયા અને ઉભા થઇ ગયા એટલે નાવનું બેલેન્સ હાલકડોલક થઇ ગયું. મેં તેમને પ્રભુમાં શ્રદ્ધામાં રાખીને પોતાની જગ્યાએ બેસવા કહ્યું. દરેક જણ શિસ્ત જાળવીને બેસી પણ ગયા. એટલે નાવનું બેલેન્સ જળવાઈ ગયું. અને પછી બધાએ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ કર્યું. તેથી દરેકનું મન પણ શાંત થઇ ગયું અને બધા તે શ્રદ્ધાના સહારે બેસી રહ્યા. જે નાવને તોફાનમાંથી બહાર નીકળવામાં કામમાં આવ્યું. અને પછી તો જે થયું તેમાં થોડો શ્રદ્ધાનો પણ વિષય રહ્યો. અને બસ... કામ પાર પડી ગયું."

બસ આજ વાત છે . વિજ્ઞાન એમ કહેશે કે બધા બેસી ગયા અને શિસ્ત પણ જાળવી એટલે બેલેન્સ જળવાયું એટલે નાવ બચી ગયી. પરંતુ ધર્મ એમ કહેશે કે " ના, આ તો પ્રભુ કૃપાની વાત છે. બધા બેસી તો ગયા પરંતુ તો સમુદ્રી તોફાન વધારે ભયાનક બન્યું હોત તો?  તેવું નાં બન્યું કારણકે દરેકે શ્રદ્ધાથી પ્રભુની શરણમા જઈને જીવન બચાવવા પ્રાર્થના કરી. એટલે પ્રાર્થના નાં કારણે જ્ બધા બચ્યા." પરંતુ જે હોય તે પણ સાત્વિક કે તાત્વિક ગમે તે રીતે વિચારો, પરંતુ એક હકીકત છે કે બધાના જીવ બચી ગયા.
અને આવો જ એક અનુભવ મારા જીવનનો પણ છે .. જેને સાત્વિક અને તાત્વિક બંને રીતે વિચારો તો બંને વિચારધારા સાચી લાગે.

       મારા એન્ગેજમેન્ટ થયા હતા અને અમારું ફેમીલી દ્વારકાધીશજીના દર્શન માટે દ્વારકા મુકામે ગયા હતા.હું મુમ્મી-પપ્પા, રચના અને અમારો તે વખતનો વિશ્વાસુ ડ્રાઈવર દિનેશ. અમારી પાસે ફિયાટ ગાડી હતી અને તે લઈને અમે દ્વારકા ગયા હતા. રાજકોટ , સોમનાથ વગેરે જગ્યાએ ગયા પછી અમે દ્વારકા ગયા. અને ઉમરેઠ આવવાને લગભગ ૬ કલાક બાકી હતા. સાંજના ૭-૦૦ વાગ્યા હતા. અને શું થયું ખબર નહિ પણ અચાનક ગાડીની હેડલાઈટ બંધ થઇ ગયી. ૭-૦૦ વાગ્યા પછી તો એકદમ અંધારું થઇ ગયું. અમારા બધાના શ્વાસ થંભી ગયા. કારણકે ફેમીલી સાથે હોવાથી અમારે રસ્તામાં ઉભા રહી શકાય તેમ હતું નહી. અને લાઈટ રીપેર કરવા માટે અમારે કોઈ મોટા સ્થળે રાત્રીરોકાણ કરવું પડે અને તેના માટે અમારે ત્યાં પહોચવું જરૂરી હતું. અને તે માટે અમારો ડ્રાઈવર દિનેશ ત્યાંથી પસાર થતી ગાડી ની લાઈટ નાં સહારે ગાડી ચલાવી રહ્યો હતો. અને લગભગ ૮૦-૯૦ કી.મી.ની ઝડપે કારણકે તે ગાડીની ઝડપ તેટલી જ્ હતી.  અચાનક મેં અને રચનાએ એક ટેક લીધી . " કે જો આપણે સુખરૂપ ઉમરેઠ પહોચી જઈએ તો ડાકોર રણછોડજીના દર્શન કર્યા વગર એકબીજાને સ્પર્શ કરવો નહિ. " અને તમે નહિ માનો... ખરેખર જેવી અમે ટેક લીધી કે તરત જ હેડલાઈટ ચાલુ થઇ ગયી. 
આ વાત એટલા માટે કહી રહ્યો છું કે મને બરાબર યાદ છે . અમે જેવું વાક્ય પૂર્ણ કર્યું કે તરત જ લાઈટ ચાલુ થઇ ગયી. અમે રાત્રે ૨-૦૦ વાગે ઘરે આવ્યા હતા પરંતુ સવારે વહેલા ઉઠીને પહેલા રણછોડજીના મંગલાનાં દર્શન કરી આવ્યા. કારણકે હૃદય કહેતું હતું કે ભલે આ કામ મશીનરી ને લગતું હોય પરંતુ પ્રભુકૃપા વગર તે શક્ય નહોતું.


પરંતુ...

જે લોકો મશીનરી નાં જાણકાર છે તેઓને ખબર પડી ગઈ હશે કે અમારી ગાડીની હેડલાઈટ કેમ ચાલુ થઇ ગઈ?  ધર્મ તેને ભગવદ્કૃપા ગણે પરંતુ તાર્કિક રીતે ગણો તો તેનો ખુલાસો આ પ્રમાણે પણ થઇ શકે...
પહેલા ની ગાડી માં ડાયનેમો આવતો હતો . જેના પર ગાડીની ઈલેટરિક    સિસ્ટમ નો આધાર રહેતો. અને તેને ચાર્જ પણ કરવો પડતો. જેમ ગાડી ચાલે તેમ બેટરી નાં સપોર્ટથી તે ચાર્જ થતો. તેના માટે ગાડી લગભગ ૬૦-૭૦ કી.મી.ની ઝડપે ચાલે તો વધારે સારી રીતે ચાર્જ થાય તેમ કહેવાતું.  હવે બન્યું એવું કે દિનેશે ગાડીને બીજાની ગાડીની હેડલાઈટના આધારે ચલાવવા માટે લગભગ ૮૦-૯૦ કી.મી.ની સ્પીડે ચલાવી. અને ડાયનેમો ચાર્જ થવા લાગ્યો. સ્પીડ વધારે હતી તેથી તે જલ્દી ચાર્જ થયો. અને મેં અને રચનાએ તે જ્ સમયે ટેક લીધી. તે દરમિયાન ડાયનેમો ચાર્જ થઇ ગયો . અને તરત જ્ લાઈટ ચાલુ થઇ ગયી.
જે હોય તે... પરંતુ પ્રભુનું નામ લેતા જ આપણું  કામ થઇ ગયું બસ એ જ્ વાત પ્રભુ પર વિશ્વાસ અપાવવા માટે પુરતી છે. કારણકે ભલે દુનિયા ની કોઈ પણ સિસ્ટમ હોય પરંતુ તે આખરે તો તેને જ આધીન છે... બસ ..... પ્રભુજી આપ  અમારો આપનામાં વિશ્વાસ આમ જ બનાવી રાખશો. કારણકે અમે તમારામાંથી  વિશ્વાસ ગુમાવીશું તો તમને કોઈ ફરક નહિ પડે. જે નુકસાન થશે તે અમારું જ થશે... એટલે ફરીથી પ્રભુ ને તેમની શરણમાં રાખવાની પ્રાર્થના કરતાં  ..  વિરામ લઉં છું... આભાર ...

જય શ્રી કૃષ્ણ..

Wednesday, February 17, 2010

આ શું છે??? આસ્થા કે અંધશ્રદ્ધા??

"यूँ तो ये श्रद्धा और अंधश्रद्धा का बरसता हुआ गाज है ...
और कुछ नहीं ये अपनी आस्था का कोई अंदाज़ है...
वक्त ही होता है जो. खिंच के ले जाता है..
इसलिए  जहाँ  कल आप थे . वही पर हम आज है "

      દુનિયામાં પ્રશ્ન એવો પણ ઉદભવે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શું છે? બંને વચ્ચે ફરક શું છે? શું શ્રદ્ધા હોય અને પછી અંધશ્રદ્ધા આવે છે ? કે અંધશ્રદ્ધા હોય પછી શ્રદ્ધા આવે છે? કે પછી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનું સ્વતંત્ર અસ્તિત્વ છે? જો સ્વતંત્ર અસ્તિત્વ હોય તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત શું છે?  સાચી વાત એ છે કે બંને વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. જેને ઓળખવી જરૂરી હોય છે. આ થઇ તાર્કિક વાત. પરંતુ જયારે એમ બને કે વ્યક્તિ શ્રદ્ધાથી પોતાનું જીવન વ્યતીત કરે અને શ્રદ્ધાના આશરે પોતાના દુ:ખને દુર નાં કરી શકે ત્યારે તે ક્યારે તે પાતળી ભેદરેખા વટાવી ને અંધશ્રદ્ધા તરફ જાય છે તે કદાચ કોઈ સમજી શકતું નથી.  તેના કરતા એવું કહેવું જોઈએ કે તે સમયે કઈ શ્રદ્ધા છે કે કઈ અંધશ્રદ્ધા છે તેને ઓળખવી એ કપરી કામગીરી છે.  અમુક રેશનાલીસ્ટ વ્યક્તિઓ ફક્ત મેડિક્લ સાયન્સમાં વિશ્વાસ રાખે છે. તેમના માટે ભગવાનનું કોઈ અસ્તિત્વ જ્ નથી. તેવી વ્યક્તિઓ માટે મંદિર માં જવું તે જ્ મોટી અંધશ્રદ્ધા છે.  એનો મતલબ એવો નથી કે મેડીકલ સાયન્સમાં ભણેલી વ્યક્તિ એટલેકે ડોક્ટર્સ મંદિર માં નથી જતા. ખરેખર જયારે કપરામાં કપરી કામગીરી કરવામાં આવે ત્યારે ડોક્ટર્સ પણ દર્દીને કહે છે કે દવા અને દુઆ બંને કરો.  અરે કદાચ એવું પણ બને કે તે કામગીરી નિભાવવા માટે તેઓ પણ પ્રભુને પ્રાર્થના કર્તા હોય છે.
       બસ આજ રીતે ક્યારેક એવું બને છે કે પ્રભુમાં શ્રદ્ધા રાખનાર વ્યક્તિ એક એવા વિશ્વ તરફ પરાયણ કરે છે કે જેને પ્રગટ સ્વરૂપે અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. મારો કહેવાનો મતલબ એ જ્ છે કે તે વ્યક્તિ કોઈ પણ જોયા વગર વ્યક્તિપૂજા તરફ આગળ વધે છે. કારણકે એવું બને છે કે તેને પોતાના દુ:ખ દુર કરવા માટે ત્યાં જ એક સહારો નજર આવે છે. કદીક કોઈ ગુરુ પાસે જાય છે.  કોઈ માતાજીના ભુવા પાસે જાય છે. કે બીજો કોઈ રસ્તો અપનાવે છે.  મારી આ વાતને સમર્થન આપવા માટે મારે એક જ ઉદાહરણ આપવું બસ થઇ પડશે.  કે શાસ્ત્રો અનુસાર "સંતોષીમા" નામની કોઈ દેવી જ્ અસ્તિત્વમાં નથી. છતાં પણ "જય સંતોષીમાં" પિક્ચર હિત થયા પછી લગભગ ઘણાબધા ઘરોમાં શુક્રવાર એટલે સંતોશીમાંનો વાર ગણીને પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ પણ રાખવામાં આવે છે. શાસ્ત્રો જે કહે તે પરંતુ જે વ્યક્તિ તેનામાં શ્રદ્ધા રાખે છે તેનું કામ થાય એટલે તે જ્ તેની દેવી બની જાય છે. આ તો થઇ દેવી ની વાત ... પરંતુ ઘણી વાર એવું બને છે કે કોઈ વ્યક્તિ ભૂત અને ભૂવામાં પણ વિશ્વાસ રાખે છે. ભૂવો કહે તેમ વસ્તુઓ લાવીને પછી તેના કહેવા અનુસાર કરે પણ છે. જે વ્યક્તિ નું કામ થાય તેના માટે તે શ્રદ્ધાનો વિષય બની જાય છે.  કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ કહેવાતી અંધશ્રદ્ધામાં તરબોળ હોય છે તેના માટે તે શ્રદ્ધા જ્ છે.
       આટલી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એટલું જ્ છે કે આજરોજ મારે એક એવી વ્યક્તિની વાત કરવાની છે કે  જેના દર્શનનો લાભ લેવા માટે  એક  દિવસ માં લગભગ પાંચ થી ૬ લાખ વ્યક્તિઓ એકથી થાય છે. હું ફક્ત વાત નથી કરવાનો આપણે તેની ક્લીપીંગ્સ પણ દેખાડવાનો છું. કારણકે એ જગાની મુલાકાત મેં લીધેલી છે અને સોગંદપૂર્વક કહું છું કે આટલી જંગી મેદની મેં ક્યારેય જોઈ નથી.  તેટલું જ્ નથી હું તો તેમ કહીશ કે તેને માનવ મેદની નહિ પરંતુ માનવ મહેરામણ જ કહેવાય. અને ફક્ત જો કોઈ વ્યક્તિ ને દેવ ગણવા માટે તે કેટલી મેદની એકત્રિત કરી શકે ? તેવું ફક્ત એક જ કારણ હોય  તો હું કહીશ કે આ વ્યક્તિ દેવ ગણાવવી જોઈએ. ( માનવમહેરામણ જોવા અહીં ક્લિક કરો   ). તમે આ જે જગ્યાએ માનવ મહેરામણ ઉમટેલો જોઈ રહ્યા છો તે જગ્યાનું નામ છે આણીયાદ કે જે પંચમહાલ જિલ્લાનું ગોધરા તાલુકાનું એક ગામ છે. શહેરા થી લગભગ ૬ કી.મી. દૂર આવેલા આ ગામમાં દર બુધવારે ( પાંચ બુધવાર સુધી અને આજે તા-૧૭-૦૨-૨૦૧૦ ની રોજ ચોથો બુધવાર છે) આટલી જ સંખ્યામાં લોકો સવારથી ઉમટી પડે છે. કહેવાય છે કે કાલિકા માતાજીના ભક્ત એવા શ્રી ગણેશભાઈ ની મુલાકાત લેવા માટે લોકો આવે છે. કારણ ફક્ત એક જ છે કે અહીં આવનાર વ્યક્તિઓ ખુબ જ્ દુખી હોય છે. અને જે લોકો અહીં કતારબદ્ધ બેઠા હોય તેમની ઉપર શ્રી ગણેશભાઈ આવી ને તેમની કાળી ચાદર ફેરવે છે અને જે વ્યક્તિનાં ઉપરથી તે ચાદર પસાર થાય તેની શારીરિક તકલીફો દુર થઇ જાય છે.   સાવ અપંગ કે કુદરતી ખોડખાંપણ વાળા વ્યક્તિઓની અહીં વાત નથી. પરંતું ત્યાં આવનાર વ્યક્તિઓના કિસ્સામાં ઘણી વ્યક્તિઓની શારીરિક તકલીફો દુર થઇ છે તે નજરે જોયેલ હકીકત છે. મેં જોયું છે એટલે વાંચનારે માની લેવું તેવું કહેવાનો મારો આશય પણ નથી. પરંતુ ઘણા સમયથી તકલીફોથી પીડાતી વ્યક્તિઓ માટે આ એક આશાનું કિરણ છે તે હકીકત છે.  તકલીફો દૂર થયેલી વ્યક્તિઓની વાત કરું તો ત્યાં અમારી હાજરીમાં કોઈ જીલ્લાના D.S.P.ના માણસો તેમની પાસેથી નારિયેળ લેવા આવ્યા હતા અને તેમને સ્વીકાર્યું કે તેમના સાહેબ લગભગ ૬ વર્ષથી તકલીફથી પીડાતા હતા. ઉપરાંત તે જ્ દિવસે એક વ્યક્તિ તેની માલિકીની ૧૦ વીઘા જમીન તેના નકશા સાથે દાનમાં આપી ગયા કારણકે તેમના પુત્રની શારીરિક તકલીફ દૂર થઇ ગયી હતી. અને તે જમીન દાનમાં મળતા જ શ્રી ગણેશભાઈએ ત્યાં લગભગ ૧૦૦૦૦ ગયો માટે ગૌશાળા બાંધવાની જાહેરાત પણ કરી દીધી.
       ત્યાં જનાર વ્યક્તિએ ત્યાંથી ફક્ત ૨ નાળીયેર લેવાના હોય છે અને ત્યાં બેસવાનું હોય છે. દરેક નાં વારા પ્રમાણે  ( અહીં ક્લિક કરો  ) શ્રી ગણેશભાઈ આવીને તેમના પરથી ચાદર ફેરવે છે. જે વ્યક્તિ પરથી ચાદર ફરે તેમણે ઉભા થઇને મંડપથી દૂર આવેલા હવન કુંડ માં એક નાળીયેર પધરાવી તે કુંડની ૫ વખત પ્રદક્ષિણા કરવાની હોય છે. અને પછી બીજું નાળીયેર લઈને પરત આવવાનું  હોય છે. આ રીતે દર અઠવાડીયે એક વાર તેમ પાંચ વાર જવાનું હોય છે. ઘરે જે ૫ નાળીયેર ભેગા થાય તેનો ત્યાંથી સુચના મળે તે મુજબ હવન કરી હોમવાના હોય છે. શ્રી ગણેશભાઈ દરરોજ જુદી જુદી જગ્યાએ જાય છે અને ત્યાં આટલી જ્ સંખ્યામાં મેદની ઉમટે છે. એક વાત ચોક્કસ છે કે તેઓ ચોક્કસ કરેલા વારે ચોક્કસ કરેલ જગ્યાએ ૫ વાખત જાય છે. અને મુખ્ય વાત એ છે કે આના માટે કોઈ વ્યક્તિએ કોઈ  ચાર્જ  આપવાનો હોતો નથી. કદાચ જોઈ પોતાની જાતે આપે તે વસ્તુ અલગ છે. અને કોઈ વ્યક્તિ ની લાગવગ ચલાવવામાં આવતી નથી. દરેક વ્યક્તિએ લાઈન માં જ્ બેસવાનું હોય છે અને પોતાના વારાની રાહ જોવાની હોય છે. એવું કહેવાય છે કે ઘણા લોકો રાતથી જ્ આવીને ત્યાં બેસી જાય છે. અને આ પ્રોસેસ બપોરે ૧૨ વાગ્યાથી શરુ થઇ ને રાતના ૨ વાગ્યા સુધી ચાલે છે.  અહીં આવનાર દરેક  પોતાનું દુ:ખ દૂર થશે તેમ સંતોષ માનીને ઘરે પણ જાય છે.

આ સાથે આપેલ લીંક જો આપ ન જોઈ શકો તો આજ બ્લોગ માં વીડીઓ ફૂટેજ સ્વરૂપે ક્લીપીંગ્સ મૂકી રહ્યો છું  જે આપ નિહાળશો. ઉપરાંત મારી એક નમ્ર વિનંતી છે કે જેવો આ વસ્તુ માં માનતા નથી તેઓ આને મજાકનું સાધન ન બનાવશો. મારે આ વસ્તુ બ્લોગ પર પોસ્ટ સ્વરૂપે મુકવા પાછળ ફક્ત બે જ્ કારણ છે. એક કે જેમ કોઈ વ્યક્તિ તણખલાના સથવારે ભવસાગર તરી જાય તેમ આ જગ્યાની મુલાકાત લઈને કદાચ જીન્દગીભરની તકલીફમાંથી મુક્ત થઇ શકે. અને બીજું કારણ એ છે કે હું દ્રઢપણે માનું છું કે આટલો બધો માનવમહેરામણ નિયમિત રીતે કોઈ વ્યક્તિ એકત્રિત કરી શકે તેવો આ કદાચ આ પહેલો પ્રસંગ હશે. કારણકે મુંબઈમાં ગણેશ વિસર્જન નિમિત્તે માનવમહેરામણ ઉમટે જ છે . જે વ્યક્તિ એકદમ રેશનાલીસ્ટ છે તેમના માટે પણ "એક જ દિવસમાં ઉમટતી ૮ થી ૧૦ લાખની મેદની"ને જોવા માટે જવા જેવું ખરું. કારણકે અહીં લોકોને ફક્ત ભગવાન દેખાડવાની વાત નથી પરંતુ તેમની શારીરિક તકલીફ દૂર કરવાની પણ વાત છે.  અને હા એક વાત કહેવાનું રહી જ્ ગયી ... અહી આવનાર વ્યક્તિ માટે દારૂ નિષેધ છે. સ્ટેજ પરથી જ પ્રોગ્રામ શરુ થતા જ તેવી સુચના આપવામાં આવે છે કે દારૂ પીને ત્યાં કોઈએ બેસવું નહિ...
           આ તો ફક્ત અને ફક્ત શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ની ભેદરેખાની વાત છે. જે બહારની જુએ તેના માટે અંધશ્રદ્ધા........ નહિ તો .. " મહી પડે તે મહાસુખ પામે"...
      





Tuesday, February 2, 2010

કોની પાસેથી શું લેવું તે ઠાકોરજી ની ઈચ્છા..... બધું ઠાકોરજી નું છે...

તમારો વિશ્વાસ પ્રભુ પર હશે તે તમારા લાભ માં છે નહિ કે પ્રભુના ...તમને પ્રભુ પર વિશ્વાસ હોય કે ના હોય પ્રભુને કોઈ ફરક પડતો નથી. પણ તેનામાં વિશ્વાસ રાખનાર ને પ્રભુનું સંરક્ષણ કવચ મળે છે તે ચોક્કસ છે. તમે નાસ્તિક હો તો પણ તે તમને જન્મ તો આપે જ છે અને તમારું પાલનપોષણ પણ કરે છે. તમે પ્રભુ ને નહિ માનીને તેની હસ્તીને મિટાવી શકવાના નથી.



"એક ગામમાં ધોધમાર વર્ષા થઇ રહી હતી. આખા ગામના લોકો પોતાનો સર સમાન તથા ઘરવખરી ગુમાવી બેઠા હતા. પોતાના કાચા મકાનો તૂટી જવાથી નિરાધાર બની ગયા હતા. તે ગામમાં એક ધર્મસ્થાન હતું જે લોકોના ફંડફાળાથી ઇત અને સિમેન્ટનું બનેલું હતું. ખુબ વિશાળ જગ્યા હોવાથી ગામના લોકો ત્યાં આશરો લેવા ગયા હતા. તે ધર્માંસ્થાનના મહંત પણ સૌને આવકાર આપી ને આશ્રય આપતા હતા. ગામના બધા લોકો આવી જવાથી અંદર જગા રહી ન હતી. અને અચાનક કોઈએ બારણુ ખખડાવ્યું . ખોલી ને જોયું તો તે ગામનો સૌથી ખરાબ વ્યક્તિ હતો. જે એકદમ આસન અસસ્કારી  હતો જીન્દગીમાં પ્રથમ વાર મંદિર માં આવ્યો હતો અને તે પણ  પોતાનો જીવ બચાવવા માટે. ગામના સૌ લોકો બોલી ઉઠયા :" આને અંદર  પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. પોતાનો જીવ બચાવવાનો છે એટલે તે મંદિર માં આવ્યો છે નહિ તો કોઈ દિવસ આવતો નથી. અને ના જાણે તેને કેટકેટલા પાપ પર્યા છે. મરી જવા દો  તેને બહાર." મહંત પણ દરવાજો બંધ કરવાની તૈયારી માં હતો અને અચાનક આકાશવાણી થઇ       " અરે ગામવાસીઓ તમને તો થોડા સમયથી ખબર છે કે તે નાસ્તિક અને પાપી છે પરંતુ મને તો તેના જન્મથી ખબર છે કે એકદમ ખરાબ સંસ્કાર ધરાવતો અને પાપી બનવાનો છે. અને તો પણ હું તેને મારા આ સંસાર માં રહેવા દઉં છુ અને તમે તેને થોડા સમય માટે ધર્મસ્થાન માં આશરો નથી આપી શકતા?" ગામલોકો અને મહંત ને ભૂલ સમજાતા તે વ્યક્તિ ને અંદર આશ્રય આપ્યો."



પ્રભુ ખુબ દયાળુ છે. તેનામાં માનનાર કે નહિ માનનાર સર્વે ને સમાન હક થી જીવન આપે છે. જ્યાં સુધી તને ભગવાનમાં માનો છો તેનો સવાલ છે ત્યાં સૂધો ઠીક છે નહિ તો  જે સમયે "પ્રભુ તમારામાં માને છે કે નહિ" તે વાત આવે છે ત્યારે જીવન ની યથાર્થતા સિદ્ધ થાય છે. આ દુનિયા માં અનેક લોકો છે કે જેઓ ખુબ ધનવાન છે પરંતુ તેમનું જીવન કદી પ્રભુ ભક્તિ માં પસાર થતું નથી. તેમનું ધન પણ પ્રભુ ના કર્મમાં વપરાતું નથી. જેમનું જીવન પ્રભુ ભક્તિ માં કામ લાગે છે કે જેમનું ધન પ્રભુ ભક્તિ માં કામ આવે છે તેઓ બડા બડભાગી છે. કારણ કે તેમની સેવા લેવી તે પ્રભુ ની ઈચ્છા હોય છે. અને એક રીતે કહીએ તો ચાલે કે નાસ્તિક કે આસ્તિક બનવું તે પ્રભુ ની ઈચ્છા ની બાબત છે.અને પ્રભુની લીલાનું  આંખે જોયેલ અને જાતે અનુભવેલી દ્રષ્ટાંત રજુ કરું છુ..


"વૈષ્ણવ હોવાના નાતે દરેક વૈષ્ણવ જયારે ઠાકુરજીની આજ્ઞા થાય ત્યારે શ્રીનાથદ્વારની મુલાકાત લઈને  ઠાકોરજીના દર્શન કરીને ધન્ય થતો હોય છે. એક વાર  ખુબ જ સામાજિક અને ધાર્મિક રીતે ખુબ જ સંપન્ન અને સેવાભાવી વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કરવા માટે  શ્રી નાથદ્વારા ગયા. તેમની સાથે તમના મિત્ર પણ હતા તેમની સાથે ચર્ચા કરી તેમના મિત્રે ત્યાં મનોરથ કરાવવાની વાત કરી . તે વૈષ્ણવ ખુબ ધનિક હતા.  તેઓ નાથદ્વારા માં મનોરથ કરવા માટે તૈયાર ન થયા. પરંતુ જાણે કે પ્રભુએ તેમને જ મનોરથી બનાવવાનું નક્કી કર્યું હોય તેમ તેઓ જયારે ભેટ લખાવવા માટે મંદિરની ઓફીસ માં ગયા અને પછી બહાર નીકળ્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેઓના ખિસ્સામાંથી પૈસા પડી ગયા અને લગભગ ૧૦૦૦/- રૂપિયા તેમને ગુમાવ્યા. તેમને યાદ આવ્યું કે તેઓ મંદિરની ઓફિસમાં ભેટ લખાવવા માટે ગયા હતા. તેઓ ત્યાં ગયા અને જ્યાં ઉભા હતા ત્યાં નીચે આમતેમ તેમના પૈસા શોધવા લાગ્યા. દુરથી ખવાસ તેમને જોયા કરતો હતો. તેને તેમની પાસે જઈને કહ્યું " જયશ્રીકૃષ્ણ, કાકા તમે અહીં શું શોધો છે? શું કઈ ખોવાયું છે? પેલા કાકાએ તેના બધી વાત કરી. ખવાસ તેમને મેનેજર પાસે લઇ ગયો અને માહિતી આપી. મેનેજરે પૂછ્યું કાકા કેટલા રૂપિયા હતા? કાકા બોલ્યા "૧૦૦૦/- રૂપિયા" મેનેજરે તેમને પુછપરછ કરીને તે રૂપિયા પરત આપ્યા. અને જણાવ્યું કે અમને અહીંથી આ રૂપિયા મળેલ છે . કાકાએ તેમને ઇનામ આપવા કોશિશ કરી ત્યારે મેનેજર બોલ્યો.. " કાકા , આ રૂપિયા અમને નહિ ઠાકોરજી ને અર્પણ કરી દેજો" ... અને ખરેખર તે વૈષ્ણવે બીજા દિવસ નો સવારનો મંગલાભોગનો મનોરથ કરાવ્યો અને ઠાકોરજીએ સહર્ષ સ્વીકાર્યો. "

શું આ ઠાકોરજીની લીલા નથી? નહી તો શ્રીનાથદ્વારા મંદિર એટલે આખા ભારતવર્ષના સૌથી વધુ આવક્વાળું મંદિરમાનું એક છે. અને ઠાકોરજીને ક્યાં ખોટ છે? તેમને તો એક નહિ તો બીજા.. ચાંદી ને સોનાની થાળી માં ભેટ ધરનાર વૈષ્ણવો ની કમી નથી. અરે ઠાકોરજીને સ્વીકારવું ન હોય તો ગમે તેટલા ધનવાન હો તો પણ શ્રીનાથજી નથી જઈ શકતા. અને કદાચ જાઓ તો ઠાકોરજી તમારા રૂપિયા બીજા કામમાં વાપરવા દે પરંતુ તમને એટલી સદબુદ્ધિ ન આપે કે મંદિર માં મનોરથ કરવો. સલામ છે એ વૈષ્ણવ ને જેમને ઠાકોરજીએ સામેથી ચાલીને મનોરથ લખાવવાની પ્રેરણા આપી. ભલે તે વૈષ્ણવ કરકસરવાળો હશે પરંતુ   એ વૈષ્ણવની ઠાકોરજી માટેની ઉંચી ભાવના હશે   ત્યારે જ ઠાકોરજી આવી લીલા કરી શકે. અને તે વૈષ્ણવને ઠાકોરજીમાં શ્રદ્ધા હશે તેના કરતા  ઠાકોરજીને તે વૈષ્ણવમાં વધારે શ્રદ્ધા  હશે.

Sunday, January 31, 2010

સંવાદ ....... પ્રભુ સાથે...

આત્માના પ્રભુ સાથે ના મૌન સંવાદને પ્રાર્થના કહેવામાં આવે છે.પ્રાર્થના એ હૃદયનો ખોરાક છે. પ્રાર્થના કર્યા બાદ હૃદય અને આત્મા આનંદથી પુલકિત થઇ જાય છે. અને તો એક ન થાય તો સમજી લેજો કે તમે ખરેખર પ્રાર્થના કરી નથી. કશુંક મેળવવા માટે પ્રાર્થના કરવામાં આવતી નથી.અને તે ઉદ્દેશ્ય થી કરેલી પ્રાર્થના સફળ પણ થતી નથી.કદાચ કોઈ કામ કરવા જઈ રહ્યા હો અથવા કોઈ કસોટી માં પર ઉતારવા માટે પ્રાર્થના કરી રહ્યા હો. પ્રભુ હમેશા તમારી પાસે એવું જ ઈચ્છે છે કે તમે ફક્ત તેમને તે વિષે જણાવી દો. આગળનું તે સાંભળી લેશે. દરેક ધર્મ માં એવું કહેવામાં આવ્યું છે કે પ્રાર્થના દરમિયાન પ્રભુ પાસે કઈ માંગશો નહિ પણ ફક્ત કહો.. " યથા યોગ્યમ તથા કુરુ..." તમારી કોઈ તકલીફમાં તને પ્રાર્થના કરતા હો તો પ્રભુ ને કહો કે "યથા યોગ્યમ તથા કુરુ..." ( જે યોગ્ય હોય તે કરો) કદાચ એમ હોય કે પ્રભુ તમને તકલીફ આપીને વધારે મજબુત બનાવવા માંગતો હોય કે પછી કોઈ સારૂ કામ કરવા જતા હો અને પ્રભુ ને પ્રાર્થના કરતા હો .... પણ ભગવાને તમારા માટે તે કાર્ય માં અસફળતા લખેલી હોય અને તે અસફળતા ને પગથીયું બનાવી ને તમને વધારે સારા કાર્ય માટે તૈયાર કરવા માંગતા હોય.
પ્રાર્થના માટે જયારે શબ્દોની જરૂરિયાત પડે છે ત્યારે માનવી વામણો લાગવા લાગે છે. કારણ કે ત્યારથી અહંભાવ ઉભો થાય છે. ખુબજ જ્ઞાની વ્યક્તિ કે સાધુ વધારે સારા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાર્થના કરી શકે છે. પણ એવું બની શકે કે સમાજનો કોઈ સામાન્ય કે નીચલા સ્તરનો વ્યક્તિ તે જ્ઞાની કરતા વધારે સારી રીતે પ્રાર્થના કરી શકે. તમે પ્રભુ પાસે રજૂઆત કેટલી સારી રીતે કરો છો તે નહિ પરંતુ કેટલા નિખાલસ બનીને કરો છો તે મહત્વનું છે.

"એક ચર્ચ માં એક નાનકડો બાળક પ્રાર્થના કરતો હતો. થોડો સમય પસાર થયો. તો બાળક આંખ બંધ કરીને મશગુલ બનીને પ્રાર્થના કરતો રહ્યો. તેની પ્રાર્થના કરવાની રીત જોઈને તે ચર્ચના પાદરી ને તેને જોવા માં રસ પડ્યો. પાદરી જોતા રહ્યા અંતે તેનાથી બેખબર તે બાળક પ્રાર્થના કરતો રહ્યો.એક સમય એવો આવ્યો કે પાદરી પણ વિચાર કરવા માંડ્યા કે હું આટલો મોટો ધર્મનો જાણકાર છુ પણ આટલી તન્મયતા થી અને પ્રાર્થના નથી કરી શકતો. આટલો નાનો બાળક જે માંડ બોલતા શીખ્યો હશે તે આટલો ઓતપ્રોત થઇ ને કઈ પ્રાર્થના કરતો હશે?   તે બાળકે જેવી પ્રાર્થના પૂરી કરી એટલે તે પાદરીએ તેને બોલાવ્યો અને પૂછ્યું :"  બેટ્ટા, તું પ્રભુ ને કઈ પ્રાર્થના કરતો હતો?'
બાળક:" મને તો કોઈ પ્રાર્થના આવડતી નથી. મને તો ફક્ત એ,બી,સી,ડી... આવડે છે એટલે હું ભગવાન સામે ૧૫ વખત તે બોલી ગયો અને છેલ્લે કહી દીધું કે ભગવાન તને જે ફાવે તે પ્રાર્થના બનાવી લેજે.. પરંતુ એટલું યાદ રાખજે કે હું તને યાદ કરું છુ...?"

શું આ પ્રાર્થના બીજી કોઈ પણ પ્રાર્થના કરતા ચડિયાતી નથી? શું તેમાં પ્રભુ માટે સૌથી વધારે વિશ્વાસ નથી? 
જયારે તમે પ્રભુ ને કોઈ કામ સોપ્યા પછી તેનામાં વિશ્વાસ ગુમાવો છો ત્યારથી પ્રભુ તમારા માં વિશ્વાસ ગુમાવી દે છે. કારણકે પ્રભુ માટે તેના ભક્તો જ સર્વસ્વ છે. નરસિહ મહેતા ના કામ ભગવાન કરી લેતા કારણ કે તે ખરેખર પ્રભુ સમર્પિત જીવન જીવતા હતા અને તેમના સઘળા લૌકિક કામ પ્રભુ ને સોપી દેતા હતા અને એટલે જ તેનો હરિજનવાસ માં ભજન કરતા હોય અને તેમને ઘરે થી લેવા મોકલેલ શાકભાજી પ્રભુ જાતે નરસિહ મહેતા ના સ્વરૂપે તેમના ઘરે પહોચાડી આવતા. શામળશા શેઠ બનીને પ્રભુ તેમની હુંડી પણ સ્વીકારી લેતા. ઉપરાંત તેમની મામેરા જેવા પ્રસંગો ની જરૂરિયાત ને પણ પ્રભુ જ પૂરી કરી હતી.

"એક ધોબી  પ્રભુ નો પરમ ભક્ત હતો. કોઈપણ સુખ કે દુ:ખ હોય તે પ્રભુ ની મરજી સમજીને સ્વીકારી લેતો. ધોબીઘાટ પર લોકો તેને હેરાન કરતા. તેના કપડા પાણી માં નાખી દેતા. તેનો સાબુ સંતાડી દેતા. પણ તે હમેશા પ્રભુ પર વિશ્વાસ રાખી ને તેનું કામ કાર્ય કરતો. સમય જતા ભગવાન ને પણ થયું કે આ મારા ભક્ત ને લોકો બહુ હેરાન કરે છે. હવેથી તેને હેરાન કરશે તો મારે જાતે જઈને તેમને પાઠ ભણાવવો પડશે. બીજા દિવસે જયારે તે ધોબી ધોબીઘાટ પર ગયો અને લોકો હેરાન કરવા માંડ્યા .. ભગવાન ઉભા થયા અને જેવા તેમને રોકવા જતા હતા, બરાબર તે જ સમયે તેમની હેરાનગતિથી ત્રાસી ગયેલા ધોબીએ હાથ માં પાયો લીધો અને તેમને મારવા દોડ્યો. અને જેવું ભગવાને તે દ્રશ્ય ભગવાને જોયું કે તરત જ તેઓ ઉભા થયા હતા તે બેસી ગયા."

કહેવાનું તાત્પર્ય એટલું જ કે પ્રભુ સમય આવે તેમના ભક્તો ની પ્રાર્થના સાંભળે જ છે અને જો યોગ્ય હોય તે કરે જ છે .. જરૂરીયાત છે ફક્ત પ્રભુ પર વિશ્વાસ રાખવાની ..

Wednesday, January 27, 2010


   " कितनी नादाँ है सागरकी लहरे जो चट्टानों से टकराती है,
बिखरकर टूट जाती है फिर भी एक हो जाती है,
 अपनी अपेक्षाओ को मिटने नहीं देती वो, और रेत  मे मेल जाती है l"
 बिखरना, लडखडाना संभालना. और फिर लडखडाना .... ये इस जीवनकी रीत है.... खुद संभलकर ही कुछ पाया जा सकता है. कुछ ख़तम होने के बाद ही नयी "रचना" होती है! ब्रह्मा,विष्णु और महेश .. एक सृष्टि का रचयिता है, दूसरा पालनकर्ता है और तीसरा सृष्टि का विनाश्कर्ता  है ! पर हमे तीनो की जरुरत है, क्योंकी अगर हमे विष्णु इस सृष्टि मई लाये है तो ब्रह्म्हाजी हमारा पालन करेंगे और हमारा जनम ही इसलिए हुआ है की शिवजी ने पिछली दुनिया का विनाश किया है ! अगली दुनिया की रचना भी इसलिए होगी क्योकि इस सृष्टि का विनाश होगा !
    हमारा जीवन सागरकी लहरों की तरह होना चाहिए! सागरकी लहरे सागर से उठकर लहराती हुई समंदर की शोभा बढ़ाते हुए किनारे तक आती है, किनारे पर आकर अपने आपको बीखैर देती है मगर वो अपना जीवन और धर्म नहीं भूलती ! वो फिर से एक होकर समंदर मई समां जाती है और फिर से समंदर से लहर के रूप मई उठकर फिर से किनारे पर आती है ! बस यही बात हमें याद रखनी है! जीवन अगर संदर है तो उसकी लहरे हम है, हमे अपना जीवन लहरों की तरह जीकर इस जीवन की शोभा बढ़नी है ! बीखरने के बाद भी अपने आपको फिर से उठाना है और फिर से अपना जीवन जीना है ! हम जायेंगे, कोई दूसरा आएगा फिर तीसरा बस... समंदर की लहरोंकी तरह जीकर भगवन ने हमें जो ये जीवन दिया है उसकी शोभा बढ़नी है!
    में आशा करता हूँ की आपको मेरा ये नया हिंदी ब्लॉग पसंद आएगा .. और आप उसको मेरे साथ शेर  करेंगे! शुक्रिया..