about

Tuesday, February 2, 2010

કોની પાસેથી શું લેવું તે ઠાકોરજી ની ઈચ્છા..... બધું ઠાકોરજી નું છે...

તમારો વિશ્વાસ પ્રભુ પર હશે તે તમારા લાભ માં છે નહિ કે પ્રભુના ...તમને પ્રભુ પર વિશ્વાસ હોય કે ના હોય પ્રભુને કોઈ ફરક પડતો નથી. પણ તેનામાં વિશ્વાસ રાખનાર ને પ્રભુનું સંરક્ષણ કવચ મળે છે તે ચોક્કસ છે. તમે નાસ્તિક હો તો પણ તે તમને જન્મ તો આપે જ છે અને તમારું પાલનપોષણ પણ કરે છે. તમે પ્રભુ ને નહિ માનીને તેની હસ્તીને મિટાવી શકવાના નથી.



"એક ગામમાં ધોધમાર વર્ષા થઇ રહી હતી. આખા ગામના લોકો પોતાનો સર સમાન તથા ઘરવખરી ગુમાવી બેઠા હતા. પોતાના કાચા મકાનો તૂટી જવાથી નિરાધાર બની ગયા હતા. તે ગામમાં એક ધર્મસ્થાન હતું જે લોકોના ફંડફાળાથી ઇત અને સિમેન્ટનું બનેલું હતું. ખુબ વિશાળ જગ્યા હોવાથી ગામના લોકો ત્યાં આશરો લેવા ગયા હતા. તે ધર્માંસ્થાનના મહંત પણ સૌને આવકાર આપી ને આશ્રય આપતા હતા. ગામના બધા લોકો આવી જવાથી અંદર જગા રહી ન હતી. અને અચાનક કોઈએ બારણુ ખખડાવ્યું . ખોલી ને જોયું તો તે ગામનો સૌથી ખરાબ વ્યક્તિ હતો. જે એકદમ આસન અસસ્કારી  હતો જીન્દગીમાં પ્રથમ વાર મંદિર માં આવ્યો હતો અને તે પણ  પોતાનો જીવ બચાવવા માટે. ગામના સૌ લોકો બોલી ઉઠયા :" આને અંદર  પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. પોતાનો જીવ બચાવવાનો છે એટલે તે મંદિર માં આવ્યો છે નહિ તો કોઈ દિવસ આવતો નથી. અને ના જાણે તેને કેટકેટલા પાપ પર્યા છે. મરી જવા દો  તેને બહાર." મહંત પણ દરવાજો બંધ કરવાની તૈયારી માં હતો અને અચાનક આકાશવાણી થઇ       " અરે ગામવાસીઓ તમને તો થોડા સમયથી ખબર છે કે તે નાસ્તિક અને પાપી છે પરંતુ મને તો તેના જન્મથી ખબર છે કે એકદમ ખરાબ સંસ્કાર ધરાવતો અને પાપી બનવાનો છે. અને તો પણ હું તેને મારા આ સંસાર માં રહેવા દઉં છુ અને તમે તેને થોડા સમય માટે ધર્મસ્થાન માં આશરો નથી આપી શકતા?" ગામલોકો અને મહંત ને ભૂલ સમજાતા તે વ્યક્તિ ને અંદર આશ્રય આપ્યો."



પ્રભુ ખુબ દયાળુ છે. તેનામાં માનનાર કે નહિ માનનાર સર્વે ને સમાન હક થી જીવન આપે છે. જ્યાં સુધી તને ભગવાનમાં માનો છો તેનો સવાલ છે ત્યાં સૂધો ઠીક છે નહિ તો  જે સમયે "પ્રભુ તમારામાં માને છે કે નહિ" તે વાત આવે છે ત્યારે જીવન ની યથાર્થતા સિદ્ધ થાય છે. આ દુનિયા માં અનેક લોકો છે કે જેઓ ખુબ ધનવાન છે પરંતુ તેમનું જીવન કદી પ્રભુ ભક્તિ માં પસાર થતું નથી. તેમનું ધન પણ પ્રભુ ના કર્મમાં વપરાતું નથી. જેમનું જીવન પ્રભુ ભક્તિ માં કામ લાગે છે કે જેમનું ધન પ્રભુ ભક્તિ માં કામ આવે છે તેઓ બડા બડભાગી છે. કારણ કે તેમની સેવા લેવી તે પ્રભુ ની ઈચ્છા હોય છે. અને એક રીતે કહીએ તો ચાલે કે નાસ્તિક કે આસ્તિક બનવું તે પ્રભુ ની ઈચ્છા ની બાબત છે.અને પ્રભુની લીલાનું  આંખે જોયેલ અને જાતે અનુભવેલી દ્રષ્ટાંત રજુ કરું છુ..


"વૈષ્ણવ હોવાના નાતે દરેક વૈષ્ણવ જયારે ઠાકુરજીની આજ્ઞા થાય ત્યારે શ્રીનાથદ્વારની મુલાકાત લઈને  ઠાકોરજીના દર્શન કરીને ધન્ય થતો હોય છે. એક વાર  ખુબ જ સામાજિક અને ધાર્મિક રીતે ખુબ જ સંપન્ન અને સેવાભાવી વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કરવા માટે  શ્રી નાથદ્વારા ગયા. તેમની સાથે તમના મિત્ર પણ હતા તેમની સાથે ચર્ચા કરી તેમના મિત્રે ત્યાં મનોરથ કરાવવાની વાત કરી . તે વૈષ્ણવ ખુબ ધનિક હતા.  તેઓ નાથદ્વારા માં મનોરથ કરવા માટે તૈયાર ન થયા. પરંતુ જાણે કે પ્રભુએ તેમને જ મનોરથી બનાવવાનું નક્કી કર્યું હોય તેમ તેઓ જયારે ભેટ લખાવવા માટે મંદિરની ઓફીસ માં ગયા અને પછી બહાર નીકળ્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેઓના ખિસ્સામાંથી પૈસા પડી ગયા અને લગભગ ૧૦૦૦/- રૂપિયા તેમને ગુમાવ્યા. તેમને યાદ આવ્યું કે તેઓ મંદિરની ઓફિસમાં ભેટ લખાવવા માટે ગયા હતા. તેઓ ત્યાં ગયા અને જ્યાં ઉભા હતા ત્યાં નીચે આમતેમ તેમના પૈસા શોધવા લાગ્યા. દુરથી ખવાસ તેમને જોયા કરતો હતો. તેને તેમની પાસે જઈને કહ્યું " જયશ્રીકૃષ્ણ, કાકા તમે અહીં શું શોધો છે? શું કઈ ખોવાયું છે? પેલા કાકાએ તેના બધી વાત કરી. ખવાસ તેમને મેનેજર પાસે લઇ ગયો અને માહિતી આપી. મેનેજરે પૂછ્યું કાકા કેટલા રૂપિયા હતા? કાકા બોલ્યા "૧૦૦૦/- રૂપિયા" મેનેજરે તેમને પુછપરછ કરીને તે રૂપિયા પરત આપ્યા. અને જણાવ્યું કે અમને અહીંથી આ રૂપિયા મળેલ છે . કાકાએ તેમને ઇનામ આપવા કોશિશ કરી ત્યારે મેનેજર બોલ્યો.. " કાકા , આ રૂપિયા અમને નહિ ઠાકોરજી ને અર્પણ કરી દેજો" ... અને ખરેખર તે વૈષ્ણવે બીજા દિવસ નો સવારનો મંગલાભોગનો મનોરથ કરાવ્યો અને ઠાકોરજીએ સહર્ષ સ્વીકાર્યો. "

શું આ ઠાકોરજીની લીલા નથી? નહી તો શ્રીનાથદ્વારા મંદિર એટલે આખા ભારતવર્ષના સૌથી વધુ આવક્વાળું મંદિરમાનું એક છે. અને ઠાકોરજીને ક્યાં ખોટ છે? તેમને તો એક નહિ તો બીજા.. ચાંદી ને સોનાની થાળી માં ભેટ ધરનાર વૈષ્ણવો ની કમી નથી. અરે ઠાકોરજીને સ્વીકારવું ન હોય તો ગમે તેટલા ધનવાન હો તો પણ શ્રીનાથજી નથી જઈ શકતા. અને કદાચ જાઓ તો ઠાકોરજી તમારા રૂપિયા બીજા કામમાં વાપરવા દે પરંતુ તમને એટલી સદબુદ્ધિ ન આપે કે મંદિર માં મનોરથ કરવો. સલામ છે એ વૈષ્ણવ ને જેમને ઠાકોરજીએ સામેથી ચાલીને મનોરથ લખાવવાની પ્રેરણા આપી. ભલે તે વૈષ્ણવ કરકસરવાળો હશે પરંતુ   એ વૈષ્ણવની ઠાકોરજી માટેની ઉંચી ભાવના હશે   ત્યારે જ ઠાકોરજી આવી લીલા કરી શકે. અને તે વૈષ્ણવને ઠાકોરજીમાં શ્રદ્ધા હશે તેના કરતા  ઠાકોરજીને તે વૈષ્ણવમાં વધારે શ્રદ્ધા  હશે.

No comments:

Post a Comment