about

Monday, April 5, 2010

વેદો ની દ્રષ્ટીએ...

દિવ્ય ભાસ્કર પેપર માં ૫ મી એપ્રિલ ૨૦૧૦ ની પુરતી ધર્મ દર્શન માં સુંદર લેખ છે. જેમાં વેદ અને જીવન કોલમમાં જ્ઞાનેશ્વરાચાર્ય ( દર્શનાચાર્ય) નામના લેખક ખુબ રસપ્રદ રીતે વેદમાં લખાયેલી વાતોનો ઉલ્લેખ કરે છે.  દિવ્ય ભાસ્કરની આવી સુંદર પુરતી અને આટલા સુંદર લેખ સમાજને સ્વસ્થ અને ધાર્મિક બનાવવામાં એક રીતે સુંદર પ્લેટફોર્મ પૂરું પડે છે.
આ લેખની થોડી ચર્ચા કરવા માંગું છું. આશા રાખું છુ કે સમાજોપયોગી આવી પૂર્તિમાં આવતા લેખની ચર્ચામાં દિવ્યભાસ્કરને તંત્રી કે તે કોલમના લેખકશ્રીને કોઈ વાંધો નહિ હોય.

" अकर्मा  दस्युरभी नो अमंतुरन्यव्रतो अमानुष: त्वं तस्याडमित्रहन वधर्दासस्य   दम्भय ll"
અકરમા- એટલે કે  પુરુષાર્થ વિનાનો પુરુષ અસુર(દસ્યુ)  છે. અને તે નુકસાન કરે છે . દુષ્ટ બુદ્ધિ વાળા મનુષ્યો દસ્યુ છે . આવા લોકો ન કેવળ ફક્ત જીવનને દુ:ખી  બનાવે છે પરંતુ પોતાની દુષ્ટતાથી પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિષયના મનુષ્યોને પણ દુ:ખી કરે છે.
આમાં આવા "દસ્ય"  પુરુષોની અલગ અલગ કક્ષા પાડવામાં આવી છે. જેમ કે ..
પ્રથમ કક્ષા " અકરમા" .. એટલે કે તેઓ પુરુષાર્થ કાર્ય વિના વાકચતુરાઈ , બુદ્ધિ ચાતુર્ય થી , છળકપટ , પ્રલોભન વગેરે અનૈતિક સાધનોથી ભોગસામગ્રી પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે.
દ્વિતિય કક્ષા "અમંતુઃ " એટલે કે જે લોકો પોતાના વર્તન કે વ્યવહારથી સમાજ , રાષ્ટ્ર કે દુનિયા પર શું અસર પડશે તેનો લામ્બો વિચાર કર્યા વિના સ્વચ્છંદી વ્યવહાર અને વર્તન કરે છે. .
ત્રીજા પ્રકારના દસ્યુ... એટલે "અન્યવ્રતઃ"..જેઓ નાસ્તિક હોય છે. અને ઈશ્વરને માનતા નથી, કર્મફળને , પાપ કે પુણ્યને કશાને માનતા નથી. માત્ર ધન પ્રાપ્ત કરીને પાંચ ઇન્દ્રિયોના વિષયભોગોને ભોગવવાની ઈચ્છા રાખે છે અને તેઓ દારૂ , માંસ , વ્યભિચાર , હિંસા અને ખરાબીઓથી પરેજ કરતા નથી. ઉપરાંત અહિંસા, સંયમ, ત્યાગ , તપસ્યા, ઈશ્વર , સાક્ષાત્કાર , મોક્ષ વગેરે માન્યતાઓને માનતા નથી .તેઓ ફક્ત આકસ્મિક જીવનને જ જુએ છે. અને તેને કોઈ પ્રભુ જેવી શક્તિ ગોઠવે છે તેમ માનતા જ નથી.
ચોથી કક્ષા છે. .. "અમાનુષ ".. જેઓ અંત્યંત ક્રૂર હોય છે. ધન , ભોગ અને સુખ સગવડ માટે કોઈ વ્યક્તિની હત્યા કરી નાખે છે. ઈજ્જત લુટે છે. આ દસ્યુ એટલે કે રાક્ષસો તામસી પ્રકૃતિ વાળા હોય છે. તેમના કર્યો પશુઓથી પણ હિંસક હોય છે.
આટલી કક્ષાઓના વર્ણન બાદ. પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે...
હે પરમેશ્વર.. આપતો આવા દસ્યુઓનો  વિનાશ કરી દંડ આપો છો.. પણ અમને એવી શક્તિ ,સાહસ , અને બળ આપો આવા દસ્યુઓનું દમન કરી શકીએ. તેમને  રોકવા માટે અમે સુસંગઠિત થઈએ . કારણકે આ સમાજમાં સજ્જનોની સંખ્યા વધુ છે પણ તેઓં સંગઠિત નથી. "દુર્જનો સફળ થાય છે કારણકે સજ્જનો સક્રિય થતા નથી. અને આ સમાજને , રાષ્ટ્રને અને દુનિયા ને દુર્જનોની સક્રિયતા કરતાં , સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ભારે પડે છે." અને ખરેખર આ લેખમાં અને જે વાક્ય લખવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે " આવા દસ્યુઓના વિનાશને માટે કોઈ આયોજન અને તેના માટે તન, મન અને ધનનો ત્યાગ કરવામાં ન આવે ( મતલબ તેમનો ઉપયોગ કરવામાં ન આવે) તો આવા થોડા જ દસ્યુઓ , અધિક સંખ્યાવાળા ભલા મનુષ્યોને દુઃખ પહોચાડતા રહે છે , એટલા માટે કૃપા કરીને અમોને સંગઠિત થવામાં , એક સમાન વિચાર, સીધ્ધાંત તથા આયોજન કરવા પ્રેરિત કરો અને સમાજ રાષ્ટ્રમાંથી આ દસ્યુઓના વિનાશ માટે સર્વસ્વાની આહુતિ દેવા અમોને પ્રેરિત કરો. એવી અમારી આપને વિનમ્ર પ્રાર્થના છે.."

ઉપર મુજબનો જે લેખ ખરેખર સમાજને લાભકર્તા છે અને સમાજને માટે આંખ ઉઘાડનાર છે. હું સ્વીકારું છુ કે આ પોસ્ટ એ "દિવ્ય ભાસ્કર " અખબારની તા-૦૫-૦૪-૨૦૦૧૦, સોમવારની ધર્મદર્શન પૂર્તિની કોલમ "વેદ અને જીવન " પરથી લેવામાં આવી  છે. તેના કારણે મારો બ્લોગ તો સમૃદ્ધ તો થયો જ છે પણ તે ખરેખર સમાજોપયોગી હોવાથી મેં તેને પોસ્ટ સ્વરૂપે પ્રકાશિત કર્યો છે. જેના લેખક ગ્યાનેશ્વરાર્યજી (દર્શાનાચાર્ય)  છે. વેદની કોઈ વાત મારા શબ્દોમાં રૂપાન્તરિત કરતા કોઈ ભૂલ નાં થઇ જાય તે કારણથી ઘણો ખરો લેખ તેના તે જ સ્વરૂપે રાખ્યો છે. દિવ્યભાસ્કરના તંત્રી કે આ લેખના લેખકને વાંધો હશે તો હું આ પોસ્ટ તરત જ ડીલીટ કરી દઈશ.
આપ મારો paryank2009@yahoo.com ઉપર મારો સંપર્ક કરી શકો છો..

No comments:

Post a Comment